કંપનીઓએ કરેલા ગુના - કલમ:૩૩

કંપનીઓએ કરેલા ગુના

(૧) આ અધિનિયમ હેઠળનો ગુનો કંપનીએ કર્યો હોય ત્યારે ગુનો કરવામાં આવ્યો હોય તે સમયે કંપનીની કાયૅ સંચાલન માટે કંપનીનો ચાજૅ ધરાવતી હોય અથવા કંપનીને જવાબદાર હોય તે દરેક વ્યકિત તેમજ કંપની તે ગુના માટે દોષિત છે એમ ગણાશે અને તેમની સામે કામ ચલાવી શકાશે અને તદનુસાર તેમને શિક્ષા થઇ શકશે. જોગવાઇ કરવામાં આવી છે કે એવી કોઇ વ્યકિત એમ સાબિત કરે કે તે ગુનો તેની જાણ બહાર થયો હતો અને તે ગુનો થતો અટકાવવા માટે તેણે તમામ યોગ્ય કાળજી રાખી હતી તો તે વ્યકિત આ પેટા કલમના કોઇપણ મજકૂરથી કોઇ શિક્ષાને પાત્ર થશે નહિ. (૨) પેટા કલમ (૧) માં ગમે તે મજકૂર હોય તેમ છતા આ અધિનિયમ હેઠળનો ગુનો કોઇ કંપનીએ કર્યો હોય અને તે ગુનો કંપનીના કોઇ ડિરેકટર મેનેજર સેક્રેટરી કે બીજા અધિકારીની સંમતિથી અથવા તેમની મૂક સંમતિથી કરવામાં આવ્યો છે અથવા તેમના તરફથી થયેલી બેદરકારીને કારણે થયેલો છે એમ સાબિત થાય ત્યારે તેવો ડિરેકટર મેનેજર સેક્રેટરી અથવા બીજો અધિકારી પણ તે ગુના માટે દોષિત છે એમ ગણાશે અને તેની સામે કામ ચલાવી શકાશે અને તદનુસાર તેને શિક્ષા થઇ શકશે. સ્પષ્ટીકરણઃ- આ કલમના હેતુઓ માટે (એ) કંપની એટલે કોઇ સંસ્થાપિત મંડળ અને તેમા પેઢી અથવા વ્યકિતઓના બીજા એસોસિયેશનનો સમાવેશ થાય છે અને (બી) પેઢીના સંબંધમાં ડિરેકટર એટલે પેઢીનો ભાગીદાર